Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

અક્તેશ્વર પોતાના ઘરેથી ચાલ્યા ગયેલા યુવાનની લાશ પુલ નીચેથી મળતાં હત્યા કે આત્મહત્યા બાબતે અટકળો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના ઘરેથી ચાલ્યા ગયેલા યુવાનનો પુલ નીચેથી મૃતદેહ મળતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર રઘુભાઇ દેવાભાઇ તડવી( ઉ.વ ૩૫)( રહે- અક્તેશ્વર નિશાળ ફળીયું તા.ગરૂડેશ્વર જી.નર્મદા) પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહીયા વગર તા-૦૮/૧૨/૨૦૨૨ ના બપોરના કલાક ૧૪/૩૦ વાગ્યાના અરસામા નીકળી ગયેલ જે તા-૦૯/૧૨/૨૦૨૨ ના કલાક ૦૩/૦૦ વાગે નર્મદા નદી પર આવેલ અક્તેશ્વર પુલ નીચે થી તેનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે,ત્યારે આ યુવાનની હત્યા થઈ કે આત્મહત્યા કરી છે એ બાબત હજુ અકબંધ હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:05 pm IST)