Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વડોદરાના વારસિયા વિસ્તારમા સમા કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન પાણીમાં તણાઈ જતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં રહેતો 14 વર્ષિય કિશોર છેલ્લા 13 દિવસથી ગુમ હોવાથી તેના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન પોલીસની પ્રાથમિક પૂછતાછમાં અક્ષય પાણીના પ્રવાહમાં તણાયો હોવાની કબુલાત તેના મિત્રોએ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અને છુટક મજૂરી કરતા બળવંતભાઇ ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના 14 વર્ષિય પુત્ર અક્ષયે ગત 28 નવેમ્બરના રોજ ફોન પર કહ્યું હતું કે તે બપોર સુધીમાં ઘરે આવી જશે. જોકે રાત સુધી ઘરે ન આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. તો અક્ષયના મિત્ર અજયે જણાવ્યું હતું કે, અક્ષય તેનો ફોન આપીને ગયો છે અને કેટરિંગનો ઓર્ડર હોવાથી જઇ રહ્યો છે .તેમ કહી એક વ્યક્તિની બાઇક પાછળ બેસીને જતો રહ્યો હતો. અક્ષય અગાઉ પણ કેટરિંગના આર્ડરમાં જતો હોવાથી બે-ત્રણ દિવસે ઘરે આવતો હતો. જેથી તે પરત આવી જશે તેમ પરિવારને લાગ્યું હતું. પરંતુ  તે પરત ન આવતા આખરે તે ગુમ થયો અથવા તેનું અપહરણ થયું હોવાની શંકાના આધારે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં અક્ષયના મિત્રોએ અક્ષય સમા કેનાલ ખાતે પાણીના પ્રવાહમાં તણાયો હોવાની કબુલાત કરતા ઘટનામાં વળાક આવ્યો છે. પરિવારજનોને અક્ષય સાથે હજુ ગજુ બન્યા હોવાની ભીતિ સતાવી રહી છે. જેથી પોલીસ મથકે તેમણે હોબાળો મચાવી આરોપીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

(5:32 pm IST)