Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

મહેંદીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો: સચિન વિરૂદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો.

ઓઢવના શિશુ ગૃહમાં શિવાંશ રહેશે:મૃતક હિનાના પિતાનું મોટુ નિવેદન, કહ્યું- મારી દીકરીની જિંદગી ખરાબ કરી, આરોપીને ફાંસીની સજા થવી જોઇએ

અમદાવાદ : ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવાયેલા શિવાંશની માતા હિના ઉર્ફ મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાશે. હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

હિનાના પિતાએ ચોંકાવનારો ખુલાસો કરી હીનાની માસીને પારિવારિક ભાંગ-ફૂટની જવાબદાર ગણાવી છે. અને 4 વર્ષથી દીકરી હિના સાથે અમારો સંપર્ક પણ નથી.તેમ  કહીને ઉમેર્યું કે, આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ.

(8:16 pm IST)