Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

સુરતના પુણા વિસ્તારમાં નારાયણ નગર સોસાયટીમાં પ્રેશરથી પાણી ન આવતા માટલા ફોડીને વિરોધ કર્યો

જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવાં છતાં કોઈ નિરાકરણ નહિ આવતાં માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કર્યો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રેશરથી પાણી ન આવતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્થાનિકોએ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરીને ઝડપથી મુદ્દાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. 

સ્થાનિકોએ કહ્યું કે, આ અંગે SMCનાં જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવાં છતાં આજ સુધી આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવતાં માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં આપના કોર્પોરેટર પાયલ સાકરીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં 
આ અંગે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને જાણ કરતાં તેઓ સ્થળ પર જઈ સ્થાનિકો સાથે વાત કરી એમના પ્રશ્નો અંગેની રજુઆત અધિકારીઓને કરી હતી અને કડક શબ્દોમાં કહ્યું હતું કે, જો આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમજ પાલિકા કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવશે

(7:03 pm IST)