Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

બુથ કક્ષા સુધી સંગઠન અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ રસ્તા પર આંદોલન કરશે : રઘુ શર્મા

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસમાં સંગઠન ફેરબદલના પણ સંકેત આપ્યા

 

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજકાત કોંગ્રેસમાં સંગઠન ફેરબદલના પણ સંકેત આપ્યા હતા. બુથ કક્ષા સુધી સંગઠન મજબુત કરવા અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ હવે રસ્તા પર આંદોલન કરશે. 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.  

  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનાથી ગુજકાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી હતું. રાજીવ સાતવના નિધન બાદ કોઇ નવી નિમણૂંક કરાઇ ન હતી. કોંગ્રેસ પ્રભારી માટે 2022ની ચૂંટણી મોટો પડકાર છે. પ્રભારીએ પ્રથમ દિવસથી જ સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી ગુજરાતની કામગીરી શરૂ કરી છે.

 ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે ડો રઘુ શર્મા વર્તમાન રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. અજમેર જિલ્લામાં કેકરી વિધાનસભાથી ધારાસભ્ય છે. પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખુબ નજીક ગણાય છે.

(12:33 am IST)