Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજપીપળામાં ૫ સહિત નર્મદા જીલ્લામાં શનિવારે ૧૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં શનિવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર સોસા-૦૨,નવા ફળિયા ૦૨ પંચવટી સોસા ૦૧ નાંદોદ તાલુકાના કરાઠા-૦૧, વાવડી-૦૧, તરોપા ૦૧,ગરુડેશ્વર માં કેવડિયા કોલોની-૦૧ મોટા આબા ૦૧ અને તિલકવાડા ૦૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૧૦ દર્દી દાખલ છે આજે ૦૮ દર્દી સાજા થતા રજા અપાઈ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૧૩ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૦૫૭ પર પહોચ્યો છે.આજે વધુ ૪૨૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:17 pm IST)