Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે 1456 દર્દીઓ સાજા થયા: નવા 1221 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 10 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,50,415 થઇ :મૃત્યુઆંક 3560 થયો:કુલ 1,30,897 લોકોએ કોરોનાને મ્હાત આપી

સૌથી વધુ સુરતમાં 252 કેસ, અમદાવાદમાં 176 કેસ, રાજકોટમાં 114 કેસ, વડોદરામાં 119 કેસ,જામનગરમાં 96 કેસ,,ગાંધીનગર અને જૂનાગઢમાં 37-37 કેસ ,મહેસાણામાં 35 કેસ,બનાસકાંઠા અને ભરૂચમાં 34-34 કેસ,પાટણમાં 31 કેસ,કચ્છમાં 25 કેસ,સાબરકાંઠામાં 24 કેસ, ભાવનગરમાં 22 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1456 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1221 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,50,415 થઇ છે  આજે વધુ 1456 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,30,897 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3560 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1221 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3560 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16958 છે જેમાંથી વેન્ટીલેટર પર 81  દર્દીઓ છે જ્યારે 15877 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  87,02 ટકા  થયો છે રાજ્યમા, અત્યાર સુધીમાં 49,61,455 ટેસ્ટ કરાયા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4,ગાંધીનગરમાં 2,સુરત કોર્પોરેશનમાં 2 ,રાજકોટમાં 1, અને સુરતમાં 1 મળીને કુલ 10 લોકોના મોત થયા હતા.

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના  1221 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં  252 કેસ, અમદાવાદમાં 176 કેસ, રાજકોટમાં 114 કેસ, વડોદરામાં 119 કેસ,જામનગરમાં  96 કેસ,,ગાંધીનગર અને જૂનાગઢમાં 37-37 કેસ ,મહેસાણામાં 35 કેસ,બનાસકાંઠા અને ભરૂચમાં 34-34 કેસ,પાટણમાં 31 કેસ,કચ્છમાં 25 કેસ,સાબરકાંઠામાં 24 કેસ, ભાવનગરમાં 22 કેસ નોંધાયા  છે

(7:41 pm IST)