Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગાંધીનગર નજીક પેથાપુરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી 22 વર્ષીય પરિણીતાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

ગાંધીનગર:શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતી રર વર્ષીય પરિણીતાએ તેના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે તેના પિતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેમની પુત્રીએ અંતિમ પગલું ભરી લીધા સંદર્ભે ફરિયાદ આપતાં પેથાપુર પોલીસે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.    

અંગે પાલજમાં રબારી વાસ ખાતે રહેતાં બાબુભાઈ ચંપાભાઈ દંતાણીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની રર વર્ષીય દીકરી અંજલિના લગ્ન ચાર વર્ષ અગાઉ પેથાપુરમાં રહેતાં અમરતભાઈ પુનાભાઈ દંતાણીના પુત્ર સુરેશ સાથે સમાજના રીતિ રીવાજ મુજબ થયા હતા. જો કે લગ્ન બાદ અંજલિને કોઈ સંતાન નહીં હોવાથી પતિ અને સાસરિયાઓ દ્વારા મેણા ટોણા મારીને મારઝુડ કરવામાં આવતી હતી. ચાર વર્ષના લગ્ન જીવનમાં દસથી પંદર વાર અંજલિ રીસાઈને પિયર આવી હતી. પરંતુ તેનો સંસાર ના બગડે તે હેતુથી સમાજના મધ્યસ્થીને સાથે રાખી સાસરીમાં મોકલવામાં આવતી હતી. તેમ છતાં પતિ સુરેશભાઈ, સાસુ સવિતાબેન, સસરા અમરતભાઈ અને દિયર અલ્પેશભાઈ દ્વારા તેણીને ત્રાસ આપવામાં આવતો હતો. દરમ્યાનમાં તેમની પુત્રીએ સાસરિયાઓ ત્રાસથી કંટાળીને તેના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી મામલે પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(4:42 pm IST)