Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વડોદરામાં દીકરાની કોરોના સારવાર કરવા અમદાવાદ ગયેલ પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.20 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરમાંથી દીકરાની કોરોના સારવાર માટે અમદાવાદ ગયેલા પરિવારના મકાનમાં તસ્કરોએ રૂપિયા 1.20 લાખની મતાની ચોરી કરી હતી જ્યારે વિદેશી નાણા જેથી મૂકીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું.

વડોદરા રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો તબીબના મકાનને નિશાન બનાવી રૂપિયા .૨૦ લાખની કિંમત ધરાવતા સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટયા હતા.

વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી સવગણ સોસાયટી ખાતે રહેતા અસ્મિતા બેન પરમાર ડભોઇ રોડ પર આવેલી શ્રી જગદીશ હોસ્પિટલમાં મેનેજમેન્ટ તરીકેનું કામ કરે છે અને આજ હોસ્પિટલમાં તેઓના પતિ એમડી અને તબીબ તરીકે ફરજ બજાવે છે

તેઓના 18 વર્ષે દીકરાને કોરોના પોઝિટિવ આવતા તબિયત લથડી હતી. જેથી ગત ત્રીજી ઓક્ટોબરના રોજ તેઓ પોતાના ઘરને તાળું મારી દીકરાની સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ગયા હતા.

(4:38 pm IST)