Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજયમાં માળખાકીય સુવિધાઓ વધારી ઇઝ ઓફ લિવિંગથી શહેરોને રહેવા લાયક અને માણવા લાયક બનાવાશે : પ્રતિબદ્ધતા વ્યકત કરતા વિજયભાઇ રૂપાણી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં ર.૮૮ કરોડના નવ નિર્મિત ટાઉનહોલનું ઇ-લોકાર્પણ કતા મુખ્યમંત્રી : નગરપાલિકાઓ વિકાસ કામોના આયોજન કરે રાજય સરકાર નાણા પુરા પાડવા તૈયાર : રાજય સરકાર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ કરવા તત્પર

ગાંધીનગર, તા. ૧૦ : મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજયના નગરોમાં માળખાકીય સુવિધા વધારીને ઇઝ ઓફ લિવિંગ દ્વારા નગરો ને રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ઘતા વ્યકત કરી છે

તેમણે કહ્યું કે ગુજરાત ના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના નગરો શહેરો ની સરખામણીએ ઊભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી એ અમદાવાદ જિલ્લા ના વિરમગામ માં ૨.૮૮ કરોડ ના ખર્ચે તૈયાર થયેલા નવા ટાઉનહોલ નો ઇ લોકાર્પણ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારથી સત્તામાં આવી ત્યારથી રાજયના શહેરો-નગરોનો વિકાસ આયોજન બદ્ઘ અને ઝડપી થયો છે.

રાજયમાં શહેરી જનસંખ્યા ૪૫ ટકાથી વધુ છે. આમ રાજયમાં ૫૦ ટકા લોકો ગામડામાં અને ૫૦ ટકા લોકો નગરોમાં વસે છે ત્યારે

રાજય સરકાર નગરોમાં માળખાકીય સેવાઓ વ્યાપક બનાવી ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે કટિબદ્ઘ છે.

રાજયના નગરો રહેવાલાયક, માણવાલાયક અને જીવવાલાયક બને તે માટે સરકાર પ્રતિબદ્ઘ છે. વ્યકિત પોતાના વતન, પોતાના ગમતા નગરમાં છેલ્લા શ્વાસ સુધી રહેવું પસંદ કરે તેવા નગરોનાં નિર્માણની નેમ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વ્યકત કરી હતી.

 રાજયના નગરો માં સમસ્યાઓની ભરમાર ન હોય પરંતુ વ્યથાની જગ્યાએ વ્યવસ્થાઓ હોય તેવું વાતાવરણ બનાવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં નિર્માણ પામેલા ટાઉન હોલ નો શુભારંભ કરાવતા

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નગરપાલિકાઓ વિકાસ કામોના આયોજન કરે રાજય સરકાર આ માટેના નાણાં પૂરા પાડશે.

મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન સેવા સેતુનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગામડાના નાગરિક સુધી સામાન્ય ઉપયોગી સેવાઓ હવે ડિજિટલી પહોંચી છે.

ભ્રષ્ટાચાર-વચેટિયા નાબૂદ થયા છે. ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આઠ હજાર ગામડાંને આવરી લેવાશે જયારે ૨૦૨૧જ્રાક્નત્ન રાજયના ૧૪ હજાર ગામડાંને ડિજિટલ સેવા સેતુ અંતર્ગત આવરી લેવાશે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેર વહીવટમાં ટેકનોલોજી ના ભરપૂર ઉપયોગનો મત વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નગરપાલિકાના આગેવાનો નગરનું હિત શેમાં છે એ વિચારે તે આવશ્યક છે.

વિકાસ કરનારા આગેવાનોને લોકો યાદ રાખે છે. બાકી તમામ પદાધિકારીઓ માટે થોડા વર્ષોનું શાસન ભોગવી ભૂતપૂર્વ બનવાનું નિશ્યિત હોય છે.

નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રેખાબેન પંડ્યાએ આ પ્રસંગે વિરમગામના નવનિર્મિત ટાઉનહોલનું નામ વિવેકાનંદ ટાઉનહોલ' જાહેર કર્યું હતું. રૂ. ૨૮૮.૭૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ટાઉન હોલ બે માળનો છે તથા આવશ્યક તમામ સુવિધાઓથી સજ્જ છે તેમ તેઓએ જણાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી આર.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડો. મનીષ કુમાર બંસલ, પ્રાંત અધિકારી સુશ્રી સુરભી ગૌતમ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રેખાબેન પંડ્યા તથા વિરમગામના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)