Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કપરાડાની જનતામાં ભાજપ સામે પ્રચંડ આક્રોશઃ કોંગ્રેસ પ્રચાર નહિ કરે તો પણ જીતી જશેઃ તુષાર ચોધરીનો રણટંકાર

વલસાડઃ કપરાડા પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભાજપ જીલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈ એ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના ગઢને જીતુભાઈ એ ખાલી કરી નાખ્યો છે. ભાજપની જીત નિશ્ચિત છે તેની સામે કોંગ્રેસના કપરાડા  ખાતેના પ્રભારી માજી મંત્રી તુષારભાઈ ચૌધરીએ   વળતો જવાબ આપતા કહ્યું કે ભાજપ હવામાં વાતો કરે છે.

અહીંયા કોંગ્રેસ પ્રચાર પણ નહીં કરે તો પણ કોંગ્રેસ જીતી જશે એટલો આક્રોશ કપરાડાની જનતામાં ભાજપના જીતુ ભાઈ સામે છે. આદિવાસી પ્રજાની તાસીર છે એ વિશ્વાસઘાત સહન નહિ કરી શકે. કોંગ્રેસની સાથે અને આદિવાસીઓ સાથે જીતુભાઈએ વિશ્વાસઘાત કર્યો છે એટલે વગર પ્રચારે અમે જીતી જશું.

(12:46 pm IST)