Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

નર્મદા જીલ્લામાં શુક્રવારે ૯ કોરોના પોઝિટિવ દર્દીની સાથે જિલ્લામાં કુલ દર્દીઓનો આંક ૧૦૪૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૦૯ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર સોસા-૦૧,ચોર્યાસી વાડી-૧,નાંદોદ તાલુકાના ભદામ-૧ ,જીતનગર-૧, કરાઠા-૦૧, વડીયા-૦૧,તરોપા ૦૧, ગરુડેશ્વર માં કેવડિયા કોલોની-૦૧ અને તિલકવાડા નમસ્કાર સોસા.-૦૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૦૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૦૪૬ પર પહોચ્યો છે.આજે વધુ ૪૭૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:06 pm IST)