Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજ્યમાં 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર: ગત વર્ષ કરતા ઓછું

છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયું

અમદાવાદ :  કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે 6 સપ્ટેમ્બર 2021 સુધીમાં અંદાજિત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 84.48 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયું છે

(11:40 am IST)