Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મોડાસા-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: જાનૈયાની કારને એસટી બસે અડફેટે લેતા બે સગા ભાઈ સહીત ત્રણ લોકોના કરૂણમોત

એક જ પરિવારના ત્રણ લોકોને કાળ ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ

અમદાવાદ :મોડાસા-અમદાવાદ રોડ પર રોઝડ નજીક ભલભલાના હૈયા હચમચાવી નાખે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પરિવાર લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા અને શરણાઈના શૂર સંભળાઈ રહ્યા હતા ત્યારે જાનૈયાની કારને એસટી બસે અડફેટે લેતા ધનસુરાના લાલપુર ગામના બે સગા ભાઈઓ અને પરિવારના સભ્યનું મોત નીપજ્યું હતું. જયારે 4 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા એક જ પરિવારના ત્રણ લોકોને કાળ ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી 

  પ્રાપ્ત માહિતી અનુસાર ધનસુરા તાલુકાના લાલપુર ગામનો ઝાલા પરિવાર વિજાપુર તાલુકાના અનોડીયા ગામે જાન લઈને ગયા પછી અર્ટિગા કારમાં વરરાજાના પરિવારજનો કારમાં પરત ફરતા તલોદના દેગમાળ તળાવ નજીક એસટી બસ અને અર્ટિગા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારનો કડૂચાલો વળી જતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજ્યા હતા જ્યારે કારમાં સવાર ચાર લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું

મૃતકો

વક્તુસિંહ લક્ષ્મણસિંહ ઝાલા

અદારસિંહ લક્ષ્મણસિંહ ઝાલા
જેશલસિંહ બચુસિંહ ઝાલા

ઈજાગ્રસ્ત 

તિરુપતિસિંહ વક્તુસિંહ ઝાલા
સમજદારસિંહ વક્તુસિંહ ઝાલા
પ્રદ્યુમનસિંહ સમજદારસિંહ ઝાલા
વિશ્વજીતસિંહ તિરુપતિસિંહ ઝાલા

(9:20 pm IST)