Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મોડાસા-અમદાવાદ હાઇવે પર તલોદ નજીક એસ.ટી. અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં 3ના મોતઃ 4થી વધુને ઇજા

ઇજાગ્રસ્‍તોને એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

અમદાવાદઃ મોડાસા-અમદાવાદ હાઇવે પર તોલ નજીક સમી સાંજે એસ.ટી. બસ અને કાર ધડાકાભેર અથડાતા ગમખ્‍વાર અકસ્‍માતમાં 3ના મોત થયા છે. 4 થી વધુ ઇજાગ્રસ્‍ત થયા હતા. ઇજાગ્રસ્‍તોને 108 એમ્‍બ્‍યુલન્‍સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે સમીસાંજે મોડાસા-અમદાવાદ હાઈ-વે પર એસટી બસ અને કાર વચ્ચે ગમ્ખવાર અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય 4ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે તલોદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મોડાસા-અમદાવાદ હાઇ-વે પર તલોદ નજીક સમીસાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તલોદના દેગમાળ તળાવ પાસે એસટી બસ અને કાર ધડાકાભેર અથડાયા હતા. જેના કારણે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે ઝાલા પરિવારના ત્રણ પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.

આ ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિકોને ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ લોકોએ ઘટનામાં ભોગ બનેલા ચારથી વધુ ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે તલોદ પોલીસને ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:39 pm IST)