Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 15 વર્ષીય તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર 20 વર્ષીય નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, : સુરતના સલાબતપુરા વિસ્તારમાં રવિવારે સાંજે 15 વર્ષનો તરુણ ઘર નજીકના સુલભ શૌચાલયમાં ન્હાવા ગયો હતો ત્યારે તેની પાછળ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 20 વર્ષીય પરિચિત લબરમૂછીયાની સલાબતપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા તારવાડી મસ્જીદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 15 વર્ષીય તરુણ ગતસાંજે 4.30 વાગ્યાના અરસામાં ઘર નજીકના સુલભ શૌચાલયમાં નહાવા ગયો હતો. તેને અંદર જતો જોઈ તેના ઘર નજીક જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી ( ઉ.વ.20 ) પણ પાછળ આવ્યો હતો અને તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તરુણની પાછળ લબરમૂછીયાને જતો જોઈ સુલભ શૌચાલયના વોચમેનને શંકા ગઈ હતી અને તેણે અંદર જઈ તપાસ કરતા લબરમૂછીયા સાહેલ ઉર્ફે સન્નીની કરતૂતની જાણ થઈ હતી. બનાવ અંગે વોચમેને તરુણના પિતાને જાણ કરતા તેમણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ ગત મોડીરાત્રે સાહેલ ઉર્ફે સન્ની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

(5:10 pm IST)