-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 10th May 2022
અમદાવાદીઓને ગરમીથી રાહત આપવા ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય: હવે બપોરે સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે
બપોરના સમયે અમદાવાદના 123 જેટલા સિગ્નલ બંધ રહેશે:57 જેટલા સિગ્નલો ચાલુ રખાશે પરંતુ જે સિગ્નલ ચાલુ રહેશે તમામ સિગ્નલનો સમય ઘટાડશે
અમદાવાદ : કાળઝાળ ગરમીમાં અમદાવાદ શહેરના ટ્રાફિક સિગ્નલ પર થોભવાને લઇને વાહન ચાલકોને ભારે તકલીફો પડતી હોય છે જેથી વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીઓ એક બેઠક મળી જેમાં નિર્ણય લેવાયો કે બપોરના સમયે અમદાવાદના 123 જેટલા સિગ્નલ બંધ રહેશે. જ્યારે 57 જેટલા સિગ્નલો ચાલુ રખાશે પરંતુ જે સિગ્નલ ચાલુ રહેશે તમામ સિગ્નલનો સમય ઘટાડશે.
જેમાં જે સિગ્નલનો સમય 1 મિનિટના છે તે ઘટાડીને 30 થી 40 સેકન્ડ કરાશે. આ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલના ટાઇમિંગ ઘટાડશે. તો દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને ક્યું સિગ્નલ ચાલુ રાખવું અને ક્યું બંધ તેની સતા આપવામાં આવી છે.
(9:59 pm IST)