Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સરકારે વકીલોને પડયા ઉપર પાટુ મારવાની નીતી અપનાવી ના આક્ષેપ સાથે નર્મદા બાર એસો.દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

તલાટીઓને સોંગદનામાની સતા આપતા નર્મદા જિલ્લા બાર એસોસિએશનએ કલેક્ટરને આપ્યું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયેશન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ તા.૦૬/૧૦/ ૨૦૨૦ના રોજ ગુજરાત સરકારએ વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપીયાની ફી થી ૨૨ જેટલી સેવાઓ ૮ ઓકટોબરથી ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે રેશનકાર્ડ,આવકનો દાખલો, વિધવા દાખલો,લીમીલેઅર સર્ટીફીકેટ વિગેરે ગામ કક્ષાએ થશે અને સરકાર આ સેવાઓ માટે ગ્રામ કક્ષાએ એફીડેવીટ ( સોંગદનામા ) કરવાની સતા જે તે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને આપી છે

  . ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયનો નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયેશન ઉગ્ર વિરોધ કરી જણાવ્યું હતું કે હાલમાં લોક ડાઉનને કારણે છેલ્લા ૬ મહિનાથી કોર્ટનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થયેલ છે તેવા સંજોગોમાં વકીલોની એકમાત્ર આજીવીકા નોટરીના વ્યવસાય ઉપર આધારીત હોઇ અને કોર્ટ બંધ હોવાને કારણે વકીલોની આર્થીક સ્થિતી ઉપર ખુબ જ માઠી અસર પડેલ હોઇ તેની જાણ ગુજરાત સરકારને હોવા છતા વકીલોના હિતને ધ્યાનમાં રાખ્યા વગર વકીલોને પડયા ઉપર પાટુ મારવાની જે નીતી અપનાવી છે તે નીતીનો નર્મદા જિલ્લા બાર એસો.એ આવેદનપત્ર આપી સખતમાં સખત વિરોધ કરી તલાટીઓને સોંગદનામાની સત્તા આપી છે તે મોકુફ રાખવા બાબતે નર્મદા બાર એસોસિયેશન ના પ્રમુખ કુ.વંદના બેન ભટ્ટ અને સાથે અન્ય સભ્યોએ નર્મદા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.

(10:06 pm IST)