Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રાજપીપળાના એકતા નગર ખાતે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સમાં સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરતા મુખ્યમંત્રી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : એકતાનગર ખાતે બે દિવસીય નેશનલ જ્યુડિશીયલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત પધારેલા કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણા, સુપ્રિમ કોર્ટના ન્યાય મૂર્તિઓને સ્મૃતિચિન્હ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ આર.એમ.શાહ,બેલાબેન ત્રિવેદી, મહેસૂલ અને કાયદા મંત્રીશ રાજેન્દ્રભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 pm IST)