Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રાજપીપળામાં રવિવારે નિકળનારી રામનવમીની શોભાયાત્રા માટે હરસિધ્ધિ માતાના મંદિરે તડામાર તૈયારી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા રાધા કૃષ્ણ મંદિરેથી નિકળનારી રામનવમીની ભવ્ય શોભાયાત્રાની વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા રાજપીપળા હરસિધ્ધિ મંદિર માં આવેલા રામજી મંદિર ખાતે તડામાર તૈયારી કરાઈ રહી છે,રામ નવમી નો પર્વ હિંદુઓ માટે ખાસ મહત્વનો ગણાઈ છે ત્યારે આ શોભાયાત્રા બાબતે રાજપીપળા સહિત જીલ્લાના ભાવિક ભક્તોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ શોભાયાત્રા માં વિશ્વ હિન્દુ પરિસદ સાથે સાઈ મંડળ પણ જોડાયું છે, આ શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિરેથી નિકળી મુખ્ય માર્ગો ઉપર ફરી ગાયત્રી મંદિર સામેના રામજી મંદિરે પૂર્ણ થશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.

(11:33 pm IST)