Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું વિરમગામમાં સ્વાગત કરાયુ

વિરમગામ શહેરમાં સરદાર પટેલ પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવી અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું વિરમગામમાં સ્વાગત કરાયુ હતું. ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા વિરમગામના ભોજવા ગામમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભોજવા ખાતે ઘોડે સવારી કરવામાં આવી હતી. વિરમગામ શહેરમાં સરદાર પટેલ પ્રતિમા ને પુષ્પાંજલી કરવામાં આવી હતી અને આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા વિરમગામ શહેરમાં APMC પાસે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરના મુખ્ય માર્ગો પરથી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા પસાર થઇ હતી અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા ભાજપના હોદ્દોદારો, શહેર ભાજપના હોદ્દેદારો, પદાધીકારીઓ, યુવા મોરચા ટીમ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:37 pm IST)