Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ અમદાવાદની નવસંપાદિત જમીનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તારીખ ૦૯.૦૪.૨૦૨૨ , શનિવારના શુભ દિવસે પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજ , ઉપાધ્યક્ષ , સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન , બેલુર મઠ ના વરદ હસ્તે લેખંબા ગામ ( તાલુકા સાણંદ , જિલ્લા અમદાવાદ ) ખાતે રામકૃષ્ણ મઠ,અમદાવાદની નવસંપાદિત જમીનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ પૂજન, ભજન કીર્તન, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંતો મહંતો, કિરીટસિંહ રાણા - વન મંત્રી, કનુભાઈ પટેલ - સાણંદ ધારાસભ્ય, અરવિંદસિંહ વાઘેલા - તાલુકા પંચાયત પ્રમુખ, સ્નેહલબેન શાહ - નગરપાલિકા પ્રમુખ, ખેંગારભાઈ સોલંકી - એપીએમસી ચેરમેન સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(8:35 pm IST)