Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ગાંધીનગરમાં કોરોનાએ ફૂફાડો માર્યો : રાજ્યમાં નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 6 દર્દીઓ સાજા થયા: એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10.942 થયો:કુલ 12.12.969 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 34.157 લોકોનું રસીકરણ કરાયું

--- ગાંધીનગરમાં 24 કેસ, અમદાવાદમાં 8 કેસ અને વડોદરામાં 2 કેસ નોંધાયા: હાલમાં 114 એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો હતો જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાહત મળી રહી છે,આજે નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 6 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામ લક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 6 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 12.12.969 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.942 થયો છે, રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 34.157 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 10.64.76.611 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 114 એક્ટિવ કેસ છે,જેમાંથી એકપણ વેન્ટિલેટર પર નથી અને 114 લોકો સ્ટેબલ છે.અત્યાર સુધીમાં કુલ 12.12.969 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.942 થયો છે,

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 34 કેસમાં ગાંધીનગરમાં 24 કેસ, અમદાવાદમાં 8 કેસ અને વડોદરામાં 2 કેસ નોંધાયા છે

(7:58 pm IST)