Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ઊંઝામાં શ્રમજીવી પરિવારની પરિણીતા પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવતા અરેરાટી મચી જવા પામી

ઊંઝા: ઊંઝામાં મુકબધિર પરિણીતાની મજબૂરીનો લાભ ઉઠાવી ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યાે હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે. જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાયેલ દંપતિએ રાતોરાત ઊંઝા છોડી ૭૦૦ કિમી દૂર જયપુર નજીક વતનમાં પહોંચીને પોલીસને રજૂઆત કરતાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ થઈ હતી.ત્યારબાદ સમગ્ર મામલો મહેસાણા ડીએસપી સુધી પહોંચતા આખરે ઊંઝામાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઊંઝા હાઈવે  પર  છાપરામાં રહેતા રાજસ્થાની  શ્રમિક પરિવાર નો યુવાન  અઠવાડીયા અગાઉ ફુગ્ગા વેચી રહ્યો હતો ત્યારે તેના પાંચ વર્ષના બાળકે દોડતા આવીને મમ્મીને મારપીટ થતી હોવાનું જણાવતા તે  રહેવાના સ્થળે પહોંચ્યો હતો.જયાંનું દ્રશ્ય નીહાળીને શ્રમજીવી ચોંકી ઉઠયો હતો.પોતાની મુકબધીર પરિણીતાની લાચારીનો લાભ ઉઠાવીને  જગન્નાથ બાગરીયા, દેવનારાયણ બાગરીયા, ધારાસિંહ બાગરિયા તથા માંગીલાલ બાગરીયા તેની ઉપર બળજબરીપૂર્વક સામુહિક બળાત્કાર ગુજારી રહ્યા હતા.પતિ આવી જતાં આખરે  આ વાત કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.બીજી તરફ ઘટના બાદ  ભોગ બનનાર દંપતિ ગભરાઈ  ગયા હોવાથી ઊંઝા છોડી જયપુર નજીક વતનમાં દોડી ગયું હતું.અહીં ં દૌસા મહિલા પોલીસ સ્ટેશને રજૂઆત કરતાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ થઈ હતી અને મહેસાણા ડીએસપી કચેરીએ ટ્રાન્સફર થતાં  છેવટે  ઊંઝા પોલીસે ગેંગરેપની ફરિયાદ દાખલ કરી ચાર આરોપીઓ જગન્નાથ બાગરીયા, દેવનારાયણ બાગરીયા, ધારાસિંહ બાગરિયા તથા માંગીલાલ બાગરીયા સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ માટે ઊંઝા પીઆઈ વાઘેલાએ ધમધમાટ શરૃ કર્યો છે.

(5:03 pm IST)