Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રાષ્‍ટ્રપતિ કોવિંદની ગુજરાત યાત્રાનો પ્રારંભ : કેવડીયામાં રાજયપાલ-મુખ્‍યમંત્રીએ આવકાર્યા

કેવડીયા : રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા પહોચ્‍યા છે. રાષ્‍ટ્રપતિ કોન્‍ફરન્‍સનો પ્રારંભ કરાવશે. ટેન્‍ટ સિટીᅠ૨ ખાતે કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ કોન્‍ફરન્‍સનું આયોજન ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્‍યુ છે. રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદનું કેવડિયામાં રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત, ચીફ જસ્‍ટીસ ઓફ ઇન્‍ડિયા એનવી રમન્ના અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે સ્‍વાગત કર્યુ હતુ. કેવડિયામાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે નવમી અને દસમી એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટોના ન્‍યાયમૂર્તિઓની નેશનલ જ્‍યુડિશીયલ કોન્‍ફરન્‍સનું યોજાશે. કોન્‍ફરન્‍સ ઉદઘાટન રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ, ભારતના ચીફ જસ્‍ટિસ એન.વી. રમન્ના, રાજ્‍યપાલ આચાર્ચ દેવવ્રત દ્વારા કરવામાં આવશે.  કોન્‍ફરન્‍સમાં સ્‍થાન પામનારા વિવિધ મહત્‍વના મુદ્દાઓ પૈકી ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી અને મીડિએશન એટલે કે સમાધાન દ્વારા કેસનો નિકાલ મુદ્દાનો પણ સમાવેશ કરાયો છે. આ કોન્‍ફરન્‍સમાં ન્‍યાયના મંત્રી કિરણ રિજિજુ અને જસ્‍ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્‍ટીસ એસ. અબ્‍દુલ નઝીર, જસ્‍ટીસ એમ.આર.શાહ, જસ્‍ટીસ વિક્રમ નાથ અને જસ્‍ટીસ બેલા એમ. ત્રિવેદી સર્વોચ્‍ચ અદાલતના ન્‍યાયાધીશો પણ આ કોન્‍ફરન્‍સમાં વિશેષ અતિથિઓ તરીકે ઉપસ્‍થિત રહેશે.

 

(3:40 pm IST)