Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

માધવપુર મેળો : આજથી મુખ્‍યમંત્રીશ્રીઓ મહાનુભાવો રાજકોટમાં : કલેકટર તંત્રને દોડધામ

સિક્કિમ - મેઘાલય - ત્રીપુરાના મુખ્‍યમંત્રી તથા સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશ રાજકોટમાં

રાજકોટ તા. ૯ : કાલથી પોરબંદરના માધવપુરમાં ૪ દિ'નો જબરો રાષ્‍ટ્રીય મેળો શરૂ થઇ રહ્યો છે, રાષ્‍ટ્રપતિ સહિતના મહાનુભાવો આવી રહ્યા છે, ૮ રાજ્‍યોના મુખ્‍યમંત્રી - રાજ્‍યપાલો - અન્‍ય મહાનુભાવો પણ જોડાઇ રહ્યા છે.

આજથી મુખ્‍યમંત્રીઓ મહાનુભાવો રાજકોટ પધારી રહ્યા હોય કલેકટર તંત્રને દોડધામ થઇ પડી છે.

સિક્કિમના મુખ્‍યમંત્રી

સિક્કિમના મુખ્‍યમંત્રી પ્રેમસિંઘ તમાંગ આજે સવારે રાજકોટ એરપોર્ટ પર ઊતરી સોમનાથ જવા રવાના થયા હતા. ત્‍યારબાદ તા. ૧૧ એપ્રિલના રોજ રાજકોટ આવી રાત્રી રોકાણ કરશે. તા. ૧૨ એપ્રિલ ના સવારના ૮.૦૫ કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્‍હી જવા રવાના થશે.

મેઘાલયના મુખ્‍યમંત્રી

મેઘાલયના મુખ્‍યમંત્રીશ્રી કોનરાડ સેંગમા કાલે સવારે ૯.૧૫ કલાકે રાજકોટ એરપોર્ટ આવશે. ૯.૩૦ કલાકે એરપોર્ટથી હોટલ જશે.  બપોરે ૨ કલાકે રાજકોટથી માધવપુર જવા નિકળશે. રાત્રીના ૯.૩૦ કલાકે માધવપુર ઘેડથી રાજકોટ પરત આવવા નિકળશે. રાજકોટ રાત્રી રોકાણ કર્યા બાદ તા. ૧૧ એપ્રિલના રોજ સવારે ૮ કલાકે હોટેલ પરથી નીકળી ૮.૪૫ કલાકે રાજકોટ એરપોર્ટ પર પહોંચી ૯.૪૫ કલાકે દિલ્‍હી જવા રવાના થશે.

   સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશ શ્રીનથુલા પતિ વેંકટરામનનું રાજકોટમાં ટુંકું રોકાણ

સુપ્રીમકોર્ટના ન્‍યાયાધીશ શ્રીનથુલા પતિ વેંકટરામન કાલે બપોરે ૧૨.૧૫ કલાકે રાજકોટ એરપોર્ટ પર આવશે. ૧૨.૩૦ કલાકે એરપોર્ટથી રવાના થઇ ૧૨.૩૫ કલાકે સરકીટહાઉસ પહોંચશે. ત્‍યારબાદ ૨.૩૦ કલાકે સરકીટહાઉસ થી નીકળી ૨.૪૫ કલાકે એરપોર્ટ જશે અને ૩.૩૦ કલાકે રાજકોટ એરપોર્ટ થી દિલ્‍હી જવા રવાના થશે.

ત્રિપુરાના મુખ્‍યમંત્રી

ત્રિપુરાના મુખ્‍યમંત્રીશ્રી બિપલાબ કુમાર દેબ તા. ૧૧ એપ્રિલના રોજ બપોરે ૨.૪૫ કલાકે રાજકોટ એરપોર્ટ પર ઊતરશે અને ૩.૦૦ કલાકે રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્‍ટર દ્વારા પોરબંદર જવા રવાના થશે, તા.૧૨ એપ્રિલના રોજ બપોરે ૨.૩૦ કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી ૩.૩૦ કલાકે રાજકોટથી રવાના થશે.

(3:15 pm IST)