Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા જન્મ,મરણ અરજીના જલદી નિકાલ માટે મામલતદારને રજુઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ઘણા સમયથી પેન્ડિંગ પડી રહેલી જન્મ મરણ રજીઓનો વહેલીતકે નિકાલ કરવા માટે મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે

રજુઆતમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લા બાર એસોશીયેશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ સહિત તમામ સભ્યોની મીટીંગમાં સર્વ સંમતીથી ઠરાવ કરાયો કે જન્મ મરણ અધિનિયમ હેઠળની અરજીઓ મામલતદારને ચલાવવાની સતા હોય જન્મ મરણની અરજીઓ છેલ્લા ઘણા મહીનાઓથી પેન્ડીંગ જે તે ટેબલ ઉપર કોઇ પણ જાતના નિર્ણય વગર નાંખી રાખેલ છે તો તેવી અરજીઓનો સત્વરે નિકાલ કરવા અથવા તો યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરવામાં આવી હતી સાથે સાથે જો એમ કરવામાં નહીં આવે તો ઉચ્ચ સ્તરે આ બાબતની ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેમ પણ બાર એસોસિએશન દ્વારા જાણ કરાઈ છે

(11:38 pm IST)