Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વડોદરા: વાઘોડિયા તાલુકાના શંકરપુરા ગામે ટ્રકમાં ઉભેલા શ્રમજીવીનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા : વાઘોડિયા તાલુકાના શંકરપુરા ગામે રહેતો અશેાક રામનારાયણ સુથાર મજૂરી કામ કરે છે.આજે બપોરે ૧૧.૩૦ વાગ્યે તે ન્યુ સમારોડ અભિલાષા ચોકડી પાસે ટ્રકમાંથી મારબલ નીચે ઉતારવાનું કામ કરતો હતો.ટ્રકમાં પડેલા મારબલ જેસીબી મશીનથી ઉંચકીને નીચે ઉતારવામાં આવતા હતા. તે દરમિયાન અચાનક જેસીબી મશીનનો બેલ્ટ તૂટતા મારબલ નીચે અશોકના માથા પર પડતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

મારબલની નીચે  ફસાયેલા અશોકને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.પરંતુ,તેને સારવાર મળે તે પૂર્વે જ મોત થયુ હતુ.

(5:43 pm IST)