Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજ્યમાં ફરી કોરોનાનો કહેર : નવા 1046 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 931 દર્દીઓ સ્વસ્થ થયા : કુલ કેસનો આંક 1,79,679 થયો : કુલ 1,63,777 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 5 લોકોના મોત : મૃત્યુઆંક 3756 થયો

છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ હતી આજે અચાનક નવા કેસ વધ્યા : આજે સૌથી વધુ સુરતમાં 192 કેસ, અમદાવાદમાં 182 કેસ, વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 113 કેસ, મહેસાણામાં 57 કેસ, ગાંધીનગરમાં 39 કેસ, પાટણમાં 36 કેસ, જામનગરમાં 30 કેસ, નર્મદા અને બનાસકાંઠામાં 24 -24 કેસ, કચ્છ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ભરૂચમાં 20-20 કેસ, સાબરકાંઠામાં 16 કેસ, દાહોદ અને મોરબીમાં 15 -15 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 12,146 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં આજે અચાનક નવા કેસમાં વધારો તહ્યો છે આજે રાજ્યમાં  કોરોનાંથી વધુ 931 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1046 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3756 પર પહોંચ્યો છે

 

  . રાજ્યમાં હાલ 12,146 એક્ટિવ કેસ છે, જ્યારે 1,63,777 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં  71દર્દી વેન્ટીલેટર પર છે અને 12,075 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,79,679 પર પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1,સુરત કોર્પોરેશનમાં 1, અને વડોદરામાં 1 મળીને કુલ 5 લોકોના મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1046 કેસમાં સૌથી વધુ સુરતમાં 192 કેસ,અમદાવાદમાં 182 કેસ, વડોદરામાં 120 કેસ, રાજકોટમાં  113 કેસ,મહેસાણામાં 57 કેસ ગાંધીનગરમાં 39 કેસ,,પાટણમાં 36 કેસ, જામનગરમાં 30 કેસ,નર્મદા અને બાનાસકાંઠામાં 24 -24 કેસ,કચ્છ, સુરેન્દ્રનગર , જૂનાગઢ અને ભરૂચમાં 20-20  કેસ,સાબરકાંઠામાં 16 કેસ,દાહોદ અને મોરબીમાં 15 -15 કેસ નોંધાયા છે

(7:56 pm IST)