Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સુરતના ડિંડોલી વિસ્તારમાં પુત્રના લગ્ન ન થતા વિયોગમાં આવી 64 વર્ષીય આધેડે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરની સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડિંડોલીમાં પાણીની ટાંકી પાસે સી.આર.પાટીલ રોડ પર શિવાજી નગરમાં રહેતા 64 વર્ષીય રાજેશભાઈ બાલાજી ભાઈ ચીરુટકર શુક્રવારે સાંજે ઘરમાં પતરાનાના લાકડા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે તેમના પુત્રના પાંચ વરસથી લગ્ન થતા ન હતા જેના લીધે તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જોકે રાજેશભાઈ અને તેમનો પુત્ર કલર કામ કરે છે. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે

(5:00 pm IST)