Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ધંધુકા - બગોદરા વચ્‍ચે ખાનગી બસ પલ્‍ટી જતા ૧૧ ગંભીર : ૩૫ને ઇજા

અમદાવાદ તરફથી સૌરાષ્‍ટ્રના પ્રવાસે નીકળેલા યાત્રિકોને અકસ્‍માત નડયો : તમામ સારવારમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં અકસ્‍માતોની સંખ્‍યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્‍યારે ખાસ કરી સુરેન્‍દ્રનગર જિલ્લાના હાઈવે ગોઝારા બની જવા પામ્‍યા છે ત્‍યારે ધંધુકા બગોદરા હાઈવે ઉપર વધુ અકસ્‍માત સર્જાયો છે અકસ્‍માતના પગલે ૩૫ જેટલા મુસાફરોને ઇજા થવા પામી છે ખાનગી ટ્રાવેલ્‍સ ના ડ્રાઈવર દ્વારા સ્‍ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રાવેલ્‍સ ખાડામાં ઊતરી જતાં ૩૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી છે.
સુરેન્‍દ્રનગર જિલ્લાના ધંધુકા બગોદરા હાઈવે ઉપર છે ખાનગી બસ ચાલકના ડ્રાઇવિંગ સમયે ઝોકું આવી જતાં બાજુની ખાડમાં બસ ઉતરી જવા પામી હતી ત્‍યારે બસમાં બેઠેલા ૫૬ પૈકી ૩૫ લોકોને ઇજાઓ થવા પામી છે તમને હાલમાં ૧૦૮ ની મારફતે હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના ધંધુકા બગોદરા હાઈવે ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્‍માતો સર્જાયા કરતા હોય છે ત્‍યારે વહેલી સવારે પાંચ વાગ્‍યે વધુ એક અકસ્‍માત સર્જાયો છે અકસ્‍માતના પગલે ૩૫ મુસાફરોને ઈજા થઈ છે. જેમાં ધંધુકા ફેદરા બગોદરા ધોલેરા બરવાળા રાણપુર જેવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે અન્‍ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્‍યા છે.
જયારે પ્રાથમિક વિગતમાં અમદાવાદથી આ બસ સૌરાષ્ટ્ર તરફ ખાનગી ટૂર તરીકે જતી હતી તે સમયે આ અકસ્‍માત સર્જાયો છે. ૩૫ લોકોને ઈજાઓ થતા ચકચાર મચી જવા પામ્‍યો છે. ગ્રામજનો પણ ઘટનાસ્‍થળે દોડી જવા પામ્‍યા છે. ઈજાગ્રસ્‍તોને બહાર કાઢી અને હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે ત્‍યારે હાલમાં પોલીસ પણ ઘટના સ્‍થળે દોડી જઈ આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી.

 

(11:35 am IST)