Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નર્મદા SC સેલે નાંગલે ગામની ગુડીયા પર દુષ્કર્મ કરનાર નરાધમો ને ફાંસીની સજાની માંગ કરતું આવેદન આપ્યું

આવેદનમાં કેજરીવાલની સરકારને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગણી પણ કરાઈ છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : દિલ્હીના નાંગલ ગામની ૯ વર્ષની મહા દલિત વાલ્મીકિ સમાજની ગુડીયા પર દુષ્કર્મ આચરી જીવતી સળગાવી નાખી હતી,આવી બળબળતા પૂર્ણ ઘટનાને અંજામ આપનાર નરાધમોની તાત્કાલિક ધડપકડ કરી ફાંસી આપવામાં આવે એવી માંગ કરતું આવેદનપત્ર નર્મદા કલેક્ટર ને આપવામાં આવ્યું હતું,
આવેદનપત્ર ગુજરાત પ્રદેશ ભાજપ SC મોરચા, ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા કક્ષાના મોરચા અને સેલો દ્વારા અપાયું છે જેમાં શ્રેયશભાઈ પરમાર જિલ્લા SC મોરચા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી  અમિતભાઈ સોલંકી,શહેર પ્રમુખ અલ્પેશ સોલંકી મહામંત્રી વિરેન્દ્ર સોલંકી સહિતનાઓ હાજર રહ્યા હતા.
આ આવેદનમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ને પણ કડક ભાષામાં જણાવાયું હતું કે આ સરકારમાં વારંવાર દલીતો અને વાલ્મીકિ સમાજ પરના અત્યાચારોની ઘટનાઓ બની રહી છે તો કેજરીવાલની સરકારને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે સાથે સાથે આ ઘટનાના નરાધમોને બચાવવા ભીનું સંકેલવાની કોશીશ થશે તો અમે જલદમાં જલદ કાર્યક્રમો આપીશું તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

(12:10 am IST)