Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાજપીપળા જલારામ મંદિર પર રહેતા વ્યક્તિએ એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

છૂટક મજૂરીકામ કરનાર આ વ્યક્તિને ઘણા સમયથી કામ ન મળતા કારમી મોંઘવારીમાં એસિડ ગટગટાવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા જલારામ મંદિર ઉપર આવેલા રૂમમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા વ્યક્તિએ કામ ન મળતા એસીડ પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે.

મળતી માહિતી મુજબ મરનાર કલ્પેશભાઇ બાબુભાઇ ડોડીયા (ઉ.વ .૪૫) ( રહે , જલારામ મંદિર રાજેંદ્રનગર સોસાયટી રાજપીપલા )એ તા . ૦૪/૧૦/૨૦૨૧ ના રોજ બપોરે એસિડ પી લેતા તેમને  રાજપીપલા હોસ્પીટલ બાદ  એસ.એસ.જી હોસ્પીટલ માં લઇ જતા ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હોય રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મરનાર કલ્પેશભાઈ ડોડીયા છૂટક મજૂરીકામ કરતા હતા પરંતુ ઘણા સમયથી કામ ન મળતા તેઓ બેકાર ફરતા હોવાથી આ પગલું ભર્યું છે.

(10:51 pm IST)