Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 18 દર્દીઓ સ્વસ્થ થયા :આજે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું : કુલ મૃત્યુઆંક 10.084 :કુલ 8.15.794 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજયમાં આજે વધુ 3.33.309 લોકોનું રસીકરણ કરાયું

સુરત અને અમદાવાદમાં 6-6 કેસ, વલસાડમાં 5 કેસ,વડોદરામાં 2 કેસ,ખેડા અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો: હાલમાં 182 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 18 દર્દીઓ રિકવર થયા છે
 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 18 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.794 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એક દર્દીનું મોત થયું છે,આજે વલસાડમાં એક દર્દીનો કૉરોનથી મુરુતયું થયું છે આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.084 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.33.309 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.28.55.962 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે
   રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 લોકો વેન્ટિલેટર પર અને 179 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.794  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે વલસાડના  એક દર્દીનું મૃત્યુ થતા રાજયમાં કુલ મૃત્યુઆંક વધીને 10.084 થયો છે
   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 21 કેસમાં સુરત અને અમદાવાદમાં 6-6  કેસ, વલસાડમાં 5 કેસ,વડોદરામાં 2 કેસ,ખેડા અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે

(7:48 pm IST)