Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સુરતના ડિંડોલીમાં પુત્રના મૃત્યુના વિરહમાં માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના ડીંડોલીમાં પુત્રના મૃત્યુ બાદ વિરહમાં માતાએ રવિવારે સવારે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.જયારે બીજા બનાવમાં આર્થિક ભીંસમાં અડાજણની મહિલાએ તથા ઇચ્છાપોરમાં મગજની બિમારીમાં પ્રોઢે  આત્મહત્યા કરી હતી.

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીના બસ સ્ટેન્ડ પાસે સાંઇનગરમાં રહેતા ૪૫ વર્ષીય સંગીતાબેન દતાત્રેય પાટીલે રવિવારે સવારે ઘરમાં સ્ટોર રૃમમાં છતના લોખંડના હુક સાથે કેબલ વાયર બાંધી ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યુ હતુ. ડિંડોલી પોલીસ સુત્રોએ કહ્યુ કે સંગીતાબેન મુળ મહારાષ્ટ્રના સિરપુરના વતની હતા. તેમનો એકના એક લાડકવાયા પુત્ર દિપકનું તા.૨૮ ઓગસ્ટે હૃદયરોગના હુમલા બાદ મૃત્યુ થયું હતું. ત્યારથી તેઓ પુત્ર વિરહમાં સતત ઝુરતા હતા. અને માનસિત તાણ અનુભવતા હતા. સંતાનમાં બે પુત્રી પણ છે. પતિ કાપડ માર્કેટમાં નોકરી કરે છે.

(5:11 pm IST)