Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટની ૧૦૦ સહિત રાજયભરમાંથી રર૦૦એસ.ટી. બસની ફાળવણીઃ અનેક ટ્રીપો રદ્દ

આગામી તા. ૧૦ મીએ વડાપ્રધાનના દાહોદ-નવસારીના કાર્યક્રમ સંદર્ભે રર૦૦ એસ.ટી. બસો બૂક કરાતા રાજયભરમાં સેંકડો ટ્રીપો રદ્દ કરાયાનું બહાર આવ્‍યું છે, આ રર૦૦ બસમાં રાજકોટથી ૧૦૦-બસ મોકલવામાં આવશેઃ આ ઉપરાંત અમદાવાદ-રપ૦, વડોદરા-૧પ૦, ભરૂચ-૧૦૦, ભાવનગર-૭૦, ગોધરા-૧૪૦, હિંમતનગર-૧૭પ, મહેસાણા-૩૦૦, નડીયાદ-૩૪૦, પાલનપુર-૧૭પ, સુરત-વલસાડ બંને ડિવીઝનમાંથી ર૦૦-ર૦૦ બસ મોકલાઇ રહ્યાનું સુત્રો ઉમેરી રહ્યા છે

 

(3:17 pm IST)