Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

આંદોલનકારીઓ અંગેનું નિવેદન હાર્દિકની ભૂલ હોવાનું કહી આમ નહિ કહીશ : નરેશભાઈ પટેલ

જંબુસર ખોડલધામ યુવા સમિતિ દ્વારા માં ખોડીયાર માતાજીના છીદ્ના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

વડોદરા ;  જંબુસર તાલુકા ખોડલધામ સમિતિ તથા જંબુસર ખોડલધામ યુવા સમિતિ દ્વારા  માં ખોડીયાર માતાજીના છીદ્ના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓને જંબુસર આવતા જંબુસર પટેલ સમાજ દ્વારા જંબુસર ટંકારી ભાગોળ વિસ્તાર ખાતે પુષ્પવર્ષા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

  ખોડલધામના ચેરમેનનું પુષ્પવર્ષા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે હાર્દિક ના ભાજપ પ્રવેશ બાદના આંદોલનકારીઓ અંગેના નિવેદનને હાર્દિકની ભૂલ હોવાનું કહી આમ નહિ કહેવા જણાવીશ તેમ કહ્યું હતું. તો ભાજપ કે કોંગ્રેસ પ્રવેશ અંગે હજુ પણ કોઈ પત્તાં ન ખોલતા હોય તેમ હજુ રાજકારણમાં જવા અંગે કોઈ નિર્ણય હજુ કર્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

(10:45 pm IST)