Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 947 નવા કેસ નોંધાયા:વધુ 1198 દર્દીઓ સાજા થયા:આજે ત્રણ દર્દીનું મૃત્યુ થયા :કુલ મૃત્યુઆંક 10,974 થયો : કુલ 12.42.561 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3.83.954 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 5992 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 947 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 1198 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.42.561 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશન,ગાંધીનગર કોર્પોરેશન અને મોરબીમાં એક એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.974 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.65 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 3.83.954 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.82.48.261 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 5992 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 22 દર્દી વેન્ટિલેટર પર છે,અને 5970 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 947 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 305 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 106 કેસ,મહેસાણામાં 89 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 63 કેસ,સુરતમાં 39 કેસ, વડોદરામાં 34 કેસ,કચ્છમાં 32 કેસ, અમરેલીમાં 31 કેસ, સુરત કોર્પોરેશનમાં 27 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટમાં 20-20 કેસ,બનાસકાંઠામાં 19 કેસ, ભરૂચ અને નવસારીમાં 15-15 કેસ, ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર.જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 12-12 કેસ, અમદાવાદ અને પોરબંદરમાં 10-10 કેસ, આણંદમાં 8 કેસ, સુરેન્દ્રનગરમાં 7 કેસ, અરવલ્લી અને મોરબીમાં 6-6 કેસ,પાટણમાં 5 કેસ, ખેડા,મહીસાગર અને તાપીમાં 4-4 કેસ,ભાવનગર,ગીર સોમનાથ અને પંચમહાલમાં 2-2 કેસ, જામનગર, જૂનાગઢ અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

(7:36 pm IST)