Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

જય માતાજી.... પાવાગઢમાં માઇભકતોનો પ્રવાહ

સુપ્રસિદ્ધ યાત્રાધામ શકિતપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની માંકલીના દર્શન કરવા ગઇકાલે રવિવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી અંદાજિત પોણો લાખ માઈભકતો ઉમટી પડયા હતા. માતાજીના મંદિરના નિજ મંદિરના દ્વાર ભકતોના દર્શનાર્થે બે માસ બંધ રહ્યા બાદ ઘરે બેસી કંટાળેલા માઈભકતો તેમજ સહેલાણીઓ છેલ્લા ૩ સપ્તાહથી પાવાગઢ તરફ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.   વહેલી સવારથી પાવાગઢ તરફ ભકતોનો ભારે પ્રવાહ ઉમટી રહ્યો હતો. જ્યારે ભકતોના દર્શનાર્થે નિજ મંદિરના દ્વાર વહેલી સવારથી ખુલ્લા મુકાયા હતા. ભકતો નિજ મંદિર પરિસર ખાતે પહોંચી જય માતાજીના ભારે જય ઘોષ સાથે શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્ય બની રહ્યા હતા.

(12:17 pm IST)