Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો: નવા 80 કેસ નોંધાયા:વધુ 141 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.035 થયો :કુલ 12.63.316 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 25.962 લોકો રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 779 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 80 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 141 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,63,316 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,035 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.08 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 25.962 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,70.28.567 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 718 એક્ટિવ કેસ છે.જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 713 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 80 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, સુરત કોર્પોરેશનમાં 16 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, સુરતમાં 6 કેસ,રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 4-4 કેસ, વડોદરામાં 3 કેસ, બનાસકાંઠા,ગાંધીનગર કોર્પોરેશન,કચ્છ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, ભરૂચ,ભાવનગર કોર્પોરેશન,જામનગર કોર્પોરેશન,ખેડા, અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે

(7:28 pm IST)