Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ગાંધીનગરના અડાલજના અવાવરૂ વિસ્‍તારમાંથીસ્ત્રી-પુરૂષના મૃતદેહ મળ્‍યાઃ 7 દિવસ પહેલા હત્‍યા કરીને ફેંકી દીધાનું તારણ

ઓળખ મેળવવા માટે પોલીસે પુરૂષના કપડા અને 2 વિંટી એફએસએલમાં તપાસમાં મોકલી

ગાંધીનગરઃ ગાંધીનગરના અડાલજ વિસ્‍તારમાં અવાવરૂ જગ્‍યાએથી બે મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્‍થળે જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાત દિવસ પહેલા હત્‍યા કરીનેસ્ત્રી અને પુરૂષના મૃતદેહને ફેંકી દીધા હોવાનું પ્રાથમિક તારણ છે. બે વિંટી અને પુરૂષના કપડાનો કબ્‍જો લઇ અવશેષો એફ.એસ.એલ.માં મોકલ્‍યા છે. વધુ તપાસ હાથ ધરાઇ છે.

અડાલજ વિસ્તારમાંથી અવાવરું જગ્યા પરથી બે વ્યક્તિઓના કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. અજણ્યા પુરુષ અને સ્ત્રીના આ કંકાલ હોવાનું પોલીસ માની રહી છે. જોકે અડાલજ પોલીસે પ્રાથમિક તબક્કે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યંત વિકૃત હાલતમાં મળી આવેલા બે વ્યક્તિઓના આ કંકાલ પરથી પોલીસે FSLની મદદથી પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ઘટનાસ્થળે થી 2 સ્ત્રીની વીંટીઓ અને પુરુષના કપડાના અવશેષો કબજે લઇ તેની ઓળખ કરાવવા કવાયત હાથ ધરી છે.

પ્રાથમિક તબક્કે કંકાલની હાલત જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી પરંતુ પોલીસનું માનવું છે કે પહેલા આ વ્યક્તિઓની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જેથી પુરાવાનો નાશ થાય. અંદાજિત સાતેક દિવસ પહેલા હત્યા કરી બન્ને માં મૃતદેહ અવાવરુ જગ્યાએ ફેંકી દીધા હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે હાલ મૃતદેહના અવશેષો પરથી ઓળખ કરવા પોલીસે વીંટી અને પુરુષના પેન્ટના અવશેષો જાહેર કરી હકીકત અંગે જાણકારી આપે તેવી અપીલ કરી છે.

(4:47 pm IST)