Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સ્‍વ. વીણાબેન ગણાત્રાના અવસાનથી ખૂબ દુઃખઃ સી.આર.પાટીલની શ્રધ્‍ધાંજલિ

રાજકોટ તા. ૪ : ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલએ અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતિ વીણાબેનના અવસાન અંગે દુઃખની લાગણી વ્‍યકત કરી છે.

આપના પત્‍નિ સ્‍વ. વીણાબેન ગણાત્રાના અવસાનની દુઃખદ ઘટના બની તે જાણીને ઘણું જ દુઃખ થયું. પ્રભુ-પરમાત્‍મા આપના કુટુંબમાં અણધારી આવેલ ઘટનાને સહન કરવાની શકિત આપે અને દિવંગત આત્‍માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પરમકૃપાળુ પરમાત્‍માને પ્રાર્થના તેમ શ્રી પાટીલે અજિતભાઇને પાઠવેલ શોક સંદેશમાં જણાવ્‍યું છે.

(12:48 pm IST)