Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભાજપમાં પ્રવેશ વખતે હાર્દિકનું શકિત પ્રદર્શન નહિ, બુધ્‍ધિ પ્રદર્શન

ઇન્‍દ્રવિજયસિંહ, મનીષ દોશી, હેમાંગ રાવલના પ્રહારો

રાજકોટ તા. ૩ : હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રદેશ કોર કમિટિના સભ્‍ય ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલ, મુખ્‍ય પ્રવકતા મનીષ દોશી અને મીડિયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલે અમદાવાદમાં સંયુક્‍ત પત્રકાર પરિષદ યોજી આકરા પ્રહારો કર્યા હતા.

ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલે જણાવેલ કે હજારો લોકોની હાજરીમાં શકિત પ્રદર્શન કરી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી વાતો ચાલતી હતી પણ મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો તે બતાવે છે કે તેણે શકિત પ્રદર્શનના બદલે બુધ્‍ધિ પ્રદર્શન કર્યું છે.

ડો. મનીષ દોશીએ કહ્યું કે, હાર્દિક પોતાની વ્‍યકિતગત રોજગારી માટે ભાજપમાં જોડાયા હોય તેવું લાગે છે. આંદોલનના સાથીદારોને અસામાજિક તત્‍વો કહો છો તે કેટલું વ્‍યાજબી છે.

હેમાંગ રાવલે જણાવેલ કે, શું હવે પાટીદાર આંદોલનના શહીદોને ન્‍યાય મળી જશે ? શું પાટીદાર આંદોલનના શહીદ પરિવારોને હાર્દિકે વિશ્વાસમાં લીધા છે?

(3:33 pm IST)