Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બીમારીથી કંટાળી નિવૃત શિક્ષકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

 

વડોદરા : આ અંગેની વિગત એવી છે કે ગોત્રી વિસ્તારમાં મધર સ્કૂલ પાછળ જનકનગર સોસાયટીમાં રહેતા ૮૫ વર્ષના દિનકરરાય પુરુષોત્તમદાસ સુથાર શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ નિવૃત્તિનું જીવન વિતાવતા હતાં. છેલ્લા ૧૨ વર્ષથી તેઓ કાનની બીમારીથી પીડાતા હતાં અને આ બીમારી અસહ્ય થઇ ગઇ હતી. ગઇકાલે રાત્રે તેઓ પોતાના બેડરૃમમાં ગયા બાદ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. સામાન્ય રીતે તેઓ બેડરૃમનો દરવાજો ખૂલ્લો રાખતા હોય છે પરંતુ સવારે જ્યારે પરિવારના સભ્યો દિનકરરાયને ઊંઘમાંથી જગાડવા ગયા ત્યારે દરવાજો બંધ હતો જેથી બેડરૃમની બીજી ચાવીથી દરવાજો ખોલતા દિનકરરાય છતના હૂક પર ચાદરના ટૂકડાથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં જણાયા હતાં.

(4:37 pm IST)