Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીરની આવક : 12 કલાકમાં જળસપાટી 21 સેમી વધી

ખેડૂતોમાં ખુશીનો માહોલ: સારા વરસાદને કારણે ડેમમાં નવા નીર

અમદાવાદ :છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદની અછતને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને હાલ નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટીમાં હાલ 116.6 મીટર જોવા મળી રહી છે. ડેમમાં હાલ પાણીની આવક 8993 ક્યૂસેક જોવા મળી છે. સાથે જ સંગ્રહિત પાણીનો જથ્થો પણ 4408.09 MCM જેટલો જોવા મળી રહ્યો છે.

(1:07 pm IST)