Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વિરમગામના વ્યાયામ શાળા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં પરપોટા વિસ્તારમાં આવેલા વ્યાયામ શાળા મેદાન ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિક્રમ સવંત ૨૦૭૮ જેઠ સુદ બીજ ને બુધવાર તારીખ ૦૧/૦૬/૨૦૨૨ના રોજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. વિક્રમ સંવત ૨૦૭૮ જેઠ સુદ-૭ ને મંગળવાર તારીખ ૦૭/૦૬/૨૦૨૨ ના રોજ કથા વિરામ આપવામાં આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં બપોરે ૩.૦૦ થી ૬.૩૦ કલાક સુધી શાસ્ત્રી કપિલપ્રસાદ કે રાવલ કથા રૂપી અમૃતનું રસપાન કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પ્રારંભ પૂર્વે પોથીયાત્રા કાઢવામાં આવી અને દિકરીઓ દ્વારા સામૈયુ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિરમગામની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.

(7:31 pm IST)