Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સુરતમાં કાલથી જલારામ જીવન દર્શન સત્‍સંગ શિબીર

યુનિવર્સલ ફાઉન્‍ડેશન દ્વારા વૃધ્‍ધ ગંગાસ્‍વરૂપ માતાઓ માટે નિર્માણાધીત ભવન ‘ગંગાધામ'ના લાભાર્થે આયોજન

રાજકોટ તા.૧ : યુનિવર્સિલ ફાઉન્‍ડેશન દ્વારા વૃધ્‍ધ ગંગા સ્‍વરૂપા માતાઓ માટે નિર્માણાધીન ભવન ‘ગંગાધામ'ના લાભાર્થે તથા એબીસી ન્‍યુઝ ગુજરાત પરિવાર દ્વારા કાલે તા.ર ને ગુરૂવારથી તા.૪ ને શનીવાર સુધી જલારામ જીવન દર્શન-સૌરાષ્‍ટ્ર ધરાની સંત સ્‍મૃતિ અને ત્રિદિવસીય સત્‍સંગ શિબીરનું આયોજન કરાયું છ.ે

આ તકે ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, પુર્ણેશ મોદી સહિતના ઉપસ્‍થિત રહેશે.  આ ઉપરાંત પૂ.નૌતમસ્‍વામી, પુ. મનજીબાપા, પૂ. નિત્‍યસ્‍વરૂપ સ્‍વામી, પૂ. રમેશભાઇ ઓઝા સહિતના સંતો-મહંતોના આર્શિવાદ પ્રાપ્ત થયા છે. તા.૩ને શુક્રવારે રાત્રીના ફરીદામીર, લાલુ માલવીયા, તથા ગ્રુપનો ભવ્‍ય લોકડાયરો યોજાશે.

ચાર દિવસ દરમિયાન અનેકવિધધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.

સુરતના સરથાણા એસએમસી કોમ્‍યુનિટી હોલ, ભગવાનનગર, શ્રધ્‍ધા રો-હાઉસની સામે, વરાછા રોડ, સુરત ખાતે ભાવિકોને ઉપસ્‍થિત રહેવા જણાવાયુ છે. વકતા તરીકે ધર્મેશદાદા ત્રિવેદી રહેશે.

વધુ વિગત માટે શૈલેષભાઇ મણીલાલ કોટેચા, વિજયભાઇ રમણીકલાલ માણેક, કેલવીનભાઇ અલ્‍પેશભાઇ તમાકુવાલા મો. ૮૩૪૭૮ ૦૭૦૦૭, મો. ૯૮રપ૧ ૦૮૩૬૧, મો. ૯૮રપ૬ ૮પરરર, મો. ૯૪ર૭૧ ૮૦૦૮૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:18 pm IST)