Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલનો આજે જન્‍મદિન

જામનગર, તા.૧: જામનગરનાં ધારાસભ્‍ય અને રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલનો આજે જન્‍મદિવસ છે. તેઓનો જન્‍મ તા.૧-૬-૧૯૫૮ના રોજ થયો હતો. રાઘવજીભાઇ પટેલે બીએએલએલબીનો અભ્‍યાસ કર્યો છે.

રાઘવજીભાઇ પટેલ અનેક રાજકીય, સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાઇને સેવાકાર્યો કરી રહ્યા છે.

રાઘવજીભાઇ પટેલ ધ્રોલ તાલુકા યુથ કોંગ્રેસ. કમિટીમાં ૧૯૭૫થી ૧૯૮૨ સુધી પ્રમુખ જીલ્લા યુથ કોંગ્રેસ કમિટી જામનગરમાં ૧૯૮૨ થી ૧૯૮૯ સુધી પ્રેસીડેન્‍ટ રહી ચુકયા છે.

આ ઉપરાંત ધારાસભ્‍ય તરીકે ચૂંટાઇને વર્ષોથી લોકસેવાના કાર્યો કરી રહ્યા છે.

જુદી-જુદી શૈક્ષણિક સંસ્‍થાઓમાં તેઓ પ્રેસીડેન્‍ટ તરીકે સેવા આપી રહ્યા છે.

રાઘવજીભાઇ પટેલના મો.નં.૯૮૨૫૨ ૧૩૩૦૨ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:46 pm IST)