Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સુરતના કોન્ટ્રાકટર અશોક સંઘાણી સામે આઇટી અધિકારીએ ફરજમાં રૂકાવટની નોંધાવી ફરિયાદ

કતારગામમાં રહેતા કોન્ટ્રાકટરના નિવાસે આઈટીની ટિમ સર્ચ માટે પહોંચી ત્યારે સંઘર્ષ થયેલો :દસ્તાવેજ બાબતે પતાવટ કરવા પ્રલોભન પણ આપ્યું હતું ?

સુરત ;શહેરના કતારગામ વિસ્તારના કોન્ટ્રાકટર અશોક સંઘાણી સામે આઇટી અધિકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે કતારગામમાં આવેલ દયાળજી પાર્ક સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર અશોક સંઘાણીને ત્યાં ઈન્કમટેક્સ ઓફીસ બરોડા ખાતેથી આવેલ સર્ચ વોરંન્ટના આધારે તપાસ કરવા સુરત આયકર વિભાગની ટીમ ધરે સર્ચ માટે પહોંચી હતી ત્યાં આઇટી અધિકારી અને અશોક સંઘાણી સાથે સંઘર્ષ થતા આઇટી અધિકારીએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી
  જાણવા મળ્યા મુજબ કતારગામ વિસ્તારમાં રહેતા અને કોન્ટ્રાકટના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકને ત્યાં વડોદરા આઇટીના સર્ચ વોરંટના આધારે સુરત આયકર વિભગની ટીમ સર્ચ માટે ઘરે પહોંચી હતી તે દરમ્યાન ઈંન્ડીયન રેવન્યુ સર્વીસ ડીપ્ટી ડાયરેક્ટર ઈંન્વેસ્ટીગેશન માટે આવ્યા હતા તે દરમ્યાન ફરજમાં રુકાવટ કરી હતી છતાં પણ આયકર વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરતા દસ્તાવેજ બાબતે પતાવટ (સેટલમેંન્ટ) કરવાનુ પ્રલોભન અપાયું હતું.

(10:20 pm IST)