Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

હવે ધોરણ-9ના વિદ્યાર્થીઓ GST અને RTEનો કરશે અભ્યાસ ;ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણંય

જીએસટીની સમજણ હેતુથી અભ્યાસક્રમમાં દાખલ :RTEનો પણ સમાવેશ: દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી માંથી મુક્તિ અપાશે

 

અમદાવાદ ;હવે ધોરણ 9ના વિદ્યાર્થીઓ પણ જીએસટી અને આરટીઇનો અભ્યાસ કરશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ GST અને RTEનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી માંથી મુક્તિ અપાશે

 

   કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગૂ કરવામાં આવ્યો હતો.સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવેલ જીએસટીની સમજ નાનપણથી થાય તેવા હેતુથી અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સાથોસાથ RTEનો પણ સમાવેશ કરવામાં આવશે.

(11:14 pm IST)